<![CDATA[
સવારના નાસ્તાનું મહત્વ
આધુનિક જીવન વધુ પડતું વ્યસ્ત થઇ ગયું છે. તેથી આખો દિવસ કામ કરવા માટે શરીરને પર્યાપ્ત માત્રામાંઊર્જાની આવશ્યકતા હોય છે. આ ઊર્જા માટે સવારનો નાસ્તો જ યોગ્ય આહાર છે.
breakfast-health-tips-of-the-day
વાસ્તવમાં રાતના ભોજન બાદ લાંબા સમય સુધી કાંઇ ખાતા નથી હોતા,તેથી સવારનો નાસ્તો પૌષ્ટિક તત્વથી ભરપૂર હોવો જરૃરી છે.
વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણ
વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો ખાલી પેટમાં જે પાચન રસ ઊત્પન્ન થાય છે તેમાંથી એસિડ બનવા લાગે છે. આ આ એસિડ આપણા આંતરડાને નુકસાન પહોંચાડવાની સાથેસાથે નબળા બનાવે છે.સવારનો નાસ્તો ન કરવાથી શરીરને પૂરતી ઊર્જા મળતી નથી.
સવારનો નાસ્તો ન કરવાથી થોડો સમય પછી ખાવાની ઇચ્છા થાય છે અને આખો દિવસ અનહેલ્ધી ફૂડ ખાઇ લેવાતું હોય છે. જે ભૂખ તો સંતોષે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ગુણકારી નથી હોતું.
મેટાબોલિઝમ મનુષ્યના શરીરનું ઇંધણ છે. જેનાતી શરીર વ્યવસ્થિત કામ કરે છે. વિભિન્ન કાર્ય કરવા મગજ અને સ્નાયુતંત્રને આ ઇંધણની આવશ્યક્યતા હોય છે.તેની પૂર્તિ ન હોવાથી જંકફુડ ખાઇને પેટ ભરી લેવામાં આવે છે.તેથી સવારનો નાસ્તો ન ખાધો હોય તો મેટાબોલિઝમ પર અસર પડે છે.
breakfast-infographics
મેટાબોલિઝમનું કામ ભોજનને એનર્જીમાં બદલવાનું છે.જેથી શરીરનું કામ બરાબર થયા કરે. રાતની ઊંઘ પછીનો નાસ્તો મેટાબોલિઝમને ફરી કામ પર લગાડે છે. જો નાસ્તો ન કરવામા આવે તો મેટોબોલિઝમની પ્રક્રિયા ધીમી પડી જાય છે પરિણામે કેલોરી બળવાની બદલે બોડીમા જમા થાય છે.
સવારનો નાસ્તો પ્રોટીનયુક્ત અને ફેટ ફ્રી કર્યો હયો તો આખા દિવસમાં વધુ ખાવાની ઇચ્છા તતી નથી. નાસ્તાની સાથે મોસમી ફળ લેવાથી વધુ ફાયદો થાય છે.
શરીરમાં એનર્જી જાળવી રાખવા નાસ્તો પૌષ્ટિક તત્વોથી ભરપુર હોવો જોઇએ. કાબ્રોહાઇડ્રેટયુક્ત નાસ્તો સૌથી વધુ ઉત્તમ છે. આ આહાર ગ્લુકોઝને ધીરે-ધીરે રક્તપ્રવાહમાં લઇ જાય છે જેથી લાંબા સમય સુધી તાજગી જળવાઇ રહે છે.
breakfast-and-child-health
weight-loss-tips
]]>