સ્વાઈન ફ્લૂ

You are here:

The સ્વાઈન ફ્લૂ:

સ્વાઈન ફ્લૂ (H1N1) શું છે ?

  • સ્વાઈન ફલૂ એક શ્વાસોશ્વાસથી ફેલાતો ચેપી રોગછે, જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના ઇન્ફેક્સના કારણે ફેલાય છે, જો કે આ વાયરસ એપ્રિલ 2009માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણ હતું.
  • મોટાભાગના લોકોએ માત્ર હળવાં લક્ષણોનો અનુભવ કર્યો છે,કેટલાકે વધુ તીવ્ર લક્ષણોનો અનુભવ કર્યો છે.
  • ઇતિહાસ
  • ૨૦૦૯માં મેકિસકોના વેરાક્રુઝ રાજ્યમાં આ રોગચાળો ફાટી નીકળલો. તેની સત્તાવાર ઓળખ થાય તે પહેલાં મહિનાઓથી ત્યાં આ રોગચાળો ચાલુ હોવાનો પુરાવો છે.
  • આ વાયરસના ફેલાવાને કાબૂમાં લેવા મેક્સિકોન સરકારે મેક્સિકો સિટીની મોટાભાગની જાહેર અને ખાનગી ફેસિલિટી બંધ કરી દીધી.
  • આમ છતાં, આ વાયરસ વિશ્વભરમાં ફેલાવાનો ચાલુ રહ્યો, કેટલાક વિસ્તારોમાં દવાખાનાં ચેપગ્રસ્ત લોકોથી ભરાઈ ગયાં.
  • વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ(WHO)) તથા રોગોના નિયંત્રણ માટેનાં યુ.એસ. કેન્દ્રોએ (સીડીસી (CDC) ) કેસો ગણવાનું બંધ કર્યું અને જૂનમાં રોગચાળો ફેલાયો હોવાનું જાહેર કર્યું.

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂના લક્ષણો

  • તાવ,
  • ગળાના સોજો,
  • ઉધરસ,
  • માથાનો દુખાવો,
  • સ્નાયુ કે સાંધામાં દુખાવો અને
  • ઉબકા અને ઊલ્ટી કે અતિસારનો સમાવેશ થઈ શકે.
  • જેમનામાં આ લક્ષણો તીવ્ર માત્રામાં હોય તેમાં વધુ જોખમ હોય છે તેમાં સમાવિષ્ટ છે :
  • અસ્થમા,
  • ડાયાબિટીસ,
  • જાડાપણા સાથે,
  • હૃદયરોગ,
  • રોગપ્રતિરક્ષા સાથે સમાધાન સાધેલ,
  • ન્યૂરોડેવલપમેન્ટ સ્થિતિ સાથેના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ.
  • આ ઉપરાંત, અગાઉ ખૂબ તંદુરસ્ત વ્યકિતઓ માટે પણ ઓછી ટકાવારીમાં દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા કે તીવ્ર શ્વાસોચ્છવાસ તકલીફના લક્ષણો વિકસી શકે.
  • આ જાતે જ શ્વસનની વધેલી તકલીફ તરીકે દેખાય છે અને ફલૂ લક્ષણોની પ્રારંભિક શરૂઆત પછી 3-6 દિવસોમાં ખાસ કરીને થાય છે.

H1N1 વાયરસનો ફેલાવો કેવીરીતે થાય છે?

  • અન્ય ઈન્ફલ્યુએન્ઝા વાયરસની જેમ, H1N1 રોગ ખાસ કરીને શ્વાસના બિંદુઓ મારફત વ્યકિતથી વ્યકિતમાં ફેલાય છે.
  • લક્ષણો સામાન્ય રીતે 4-6 દિવસો સુધી રહે છે. તેથી ચેપને ફેલાવો અટકાવવા, આવાં લક્ષણોવાળી વ્યકિતઓને શાળા,કામકાજ અને ભીડવાળાં સ્થળોથી દૂર ઘરમાં રહેવું એવી ભલામણ કરાય છે.
  • વધુ તીવ્ર લક્ષણોવાળી વ્યકિતઓ અથવા જોખમવાળાં જૂથની વ્યકિતઓને એન્ટિવાયરલ (ઓસેલ્ટામિવિર કે ઝનામિવિર)થી લાભ થઈ શકે.
  • હાલમાં, વિશ્વભરમાં ના નિશ્ચિત મૃત્યુ થયા છે. આ આંકડો રાષ્ટ્રીય તંત્રો દ્વારા અપાયેલ અહેવાલ દ્વારા સમર્થિત મૃત્યુનો સરવાળો છે અને ડબલ્યુએચઓ (WHO) જણાવે છે કે નવા H1N1 પ્રકારના કુલ મૃત્યુ દર આના કરતાં (સમર્થિત કે અહેવાલ ન અપાયેલ મૃત્યુ સહિત) “ નિ:શંકપણે ઊંચો ” છે.
  • એચવનએનવન (H1N1) એક વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે.
  • હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.
  • માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો.
  • શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.
  • એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસને બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.

ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની

  • વારંવાર ઉલટી થવી
  • ચાલી ન શકવું, ક્રિયાપ્રતિક્રિયા ન આપવી
  • મુંઝવણ અને વારંવાર રડવું
  • તાવ અને શરદીનો ભોગ બનવું
  • પૂરતું પ્રવાહી ન પીવું
  • વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો
  • શ્વાસ લેવામાં પરેશાની
  • પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
  • ગભરાહટ
  • વારંવાર ઉલટી થવી
  • અચાનક ચક્કર આવવા

તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.

હું મારી જાતને આ બીમારીથી કેવી રીતે બચાવી શકું ?

દુ:ખ સાથે કહેવું પડે છે કે, અત્યાર સુધી એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે અત્યાર સુધી કોઈ દવા બહાર પડી નથી. કેટલાક લોકો ‘ટેમી ફ્લૂ’ નામની દવા જરૂર વાપરે છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગનું કહે છે કે, જ્યારે આ રોગના લક્ષણો મળી આવે ત્યારે આ દવાઓનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ.

 

અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.

  • ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
  • શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
  • બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
  • બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો
  • જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલો જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.

હુ કેવી રીતે જાણી શકું કે, હું સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છું ?

તમે ખુદ ક્યારેય પણ નહીં જાણી શકો કે, તમે સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છો. કારણ કે, અગાઉ જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂના દરદીમાં પણ એ જ ચિન્હો જોવા મળે છે જે મોસમી તાવના દરદીમાં જોવા મળે છે. માત્ર આરોગ્ય તંત્ર અને ડોક્ટરો જ તમારું ચેક અપ કરીને તમને જણાવી શકે છે કે, આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે કે, નહીં.

છતાં પણ જો આપના મનમાં કોઈ શંકા સંશય હોય તો આપના લોહી અને કફના નમૂનાને તમે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી શકો છે. અહીં પણ અફસોસ કરવા જેવી એક વાત એ છે કે, આવડા મોટો ભારત દેશમાં જ્યા કરોડોની સંખ્યામાં લોકો રહે છે ત્યાં આ વાયરસની તપાસ માટે માત્ર 18 જ લેબોરેટરી છે.

H1N1-Swine-Flu-Gujarati-Rajkot-Homoeopathy

Excerpts (Summary)

Table of Contents

Share on:
Recent posts
Featured